Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહીદવીર રમેશભાઈ જોગલના માતુશ્રીનું સન્માનઃ
જામનગર તા. ૧૮ઃ એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલે દર વર્ષની જેમ આ વખતે પણ સ્વતંત્રતા દિવસ પર એક ખાસ પ્રસંગ ધામધૂમથી અને ખૂબ જ આનંદ સાથે ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં શહીદ રમેશભાઈ જોગલ કે જેમણે કારગીલ યુદ્ધમાં આપણી ભારત માતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તેમના માતુશ્રી, મુખ્ય અતિથિગણમાં લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ભાનુશાલી, સેક્રેટરી પંકજભાઈ ઠાકર અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી ઈન્દુમતીબેન શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.
વીર શહીદ રમેશભાઈ જોગલના માતાનું સન્માન શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી ઈન્દુમતીબેન શર્માએ સાલ ઓઢાડીને કર્યુ, તેમણે અહીં પધારી અવસરમાં નવો રંગ ભેળવી દીધો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા ભારતના દેશભક્તિ સંગત ગીતોની રંગબેરંગી ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓના પાત્રોના પોશાક પ્રદર્શિત કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા મેરી માટી - મેરા દેશ અભિયાન અંતર્ગત શાળાના આચાર્ય ઉપાસના અવસ્થીના માર્ગદર્શનમાં ઉપસ્થિત અતિથિ ગણ, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ સહિતના શાળાના દરેક સભ્ય દ્વારા મારા રાષ્ટ્ર માટે હું દરેક ક્ષણ કર્તવ્ય નિષ્ઠ રહીશ તેવા શપથ લેવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial