Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પંચોતેર વૃક્ષરોપણ તથા વૃક્ષ જતન કાર્યક્રમ યોજાયો

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત

જામનગર તા. ૧૮ઃ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા જ્યારે ભારત દેશ ૭પ મો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હોય ત્યારે ૭પ વૃક્ષરોપણ અને વૃક્ષજતનનો કાર્યક્રમ ધીંગેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયો હતો.

જેમાં ધારાસભ્યો શ્રીમતી રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, યુવા મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રભારીશ્રી હરેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, યુવા મોરચા પ્રમુખ દિલીપસિંહ જાડેજા, મહામંત્રી વિરલ બારડ, સંગઠન હોદ્દેદારો, યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ સફળ બનાવવા ઈન્ચાર્જ યતીન પંડ્યા, સહઈન્ચાર્જ જય નડીયાપરા, મિલન વજાણી, કુલદીપસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh