Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્લડપ્રેશર વધી જતાં મૃત્યુ થયાનું પ્રાથમિક તારણઃ
જામનગર તા.૧ ઃ જામકંડોરણાના દડવી ગામમાંથી પોતાના મિત્રના ઘેર કાલાવડના ખીમાણી સણોસરા ગામમાં રોકાવવા આવેલા વૃદ્ધનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ નિપજ્યું છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દડવી ગામના વતની જેરામભાઈ નાથાભાઈ ટીંબડીયા નામના ૬૬ વર્ષના પટેલ વૃદ્ધ દસેક દિવસથી કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં વસવાટ કરતા પોતાના મિત્ર વસરામભાઈ સાવલીયાને ત્યાં રોકાવવા માટે આવ્યા હતા.
તે દરમિયાન ગઈકાલે સવારે જેરામભાઈને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર માટે કાલાવડ દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા રાજકોટના પિયુષભાઈ જયંતિભાઈ ટીંબડીયાએ આ વૃદ્ધનું બ્લડપ્રેશર વધી જવાથી મૃત્યુ નિપજ્યાનું પોલીસને જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag