Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા ગામમાં મકાન તથા વખારના તાળા તોડી એક શખ્સે જમાવી લીધો કબજો

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરાઈ ફરિયાદઃ

જામનગરના એક મહાજન વૃદ્ધની કનસુમરા ગામમાં આવેલી વખાર તથા મકાનના તાળા તોડી એક શખ્સે કબજો જમાવ્યા પછી બાંધકામ શરૃ કરાવ્યું હતું. તે ઉપરાંત અન્ય મકાનના પણ તાળા તોડી નખાતા આ વૃદ્ધે કલેક્ટરને અરજી કરી હતી. તેની તપાસના અંતે ગઈકાલે પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં પુષ્ય રેસીડેન્સીમાં રહેતા ન્યાલચંદ વિરપાલ શાહ (ચંદરીયા) નામના મહાજન વૃદ્ધનું મકાન તથા વખાર કનસુમરા ગામમાં આવેલા છે. તે બંને જગ્યા થોડા સમય પહેલા કનસુમરા ગામના જ રીઝવાન નુરમામદ ઉર્ફે નુરાભાઈ ખીરા નામના શખ્સે પચાવી પાડી હતી.

પારકી મિલકત પોતાની બનાવી લીધા પછી રીઝવાને વખાર તથા જૂનું મકાન તોડી નાખી તેમાં નવું બાંધકામ શરૃ કરાવ્યું હતું અને બીજા મકાનના પણ તાળા તોડી નાખી તેના પર કબજો જમાવ્યો હતો.

ઉપરોક્ત બાબતની ન્યાલચંદ શાહે જિલ્લા કલેક્ટરને અરજી પાઠવ્યા પછી તેની તપાસ લેન્ડ ગ્રેબીંગ સમિતિને સોંપવામાં આવી હતી. તે અરજીની શરૃ થયેલી તપાસમાં તથ્ય જણાઈ આવતા તે અંગેનો ગુન્હો નોંધવા પોલીસ અધિક્ષક કચેરીને સૂચના અપાઈ હતી. તેના પગલે ગઈકાલે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ન્યાલચંદ વીરપાલ શાહે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રીઝવાન ખીરાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh