Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવા મહિના પહેલાં ચોરી થયાની કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૩૧: જામનગરના બર્ધનચોક પાસે આવેલી જુમ્મા મસ્જીદની ઓફિસમાં દોઢ મહિના પહેલાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદર રહેલા કબાટનું તાળુ તોડી નાખી તેમાંથી રૂ।.૭પ હજાર રોકડા ઉઠાવી લીધા છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જીદમાં ગયા મહિનાની સત્તર તારીખની રાત્રિથી અઢાર તારીખની સવાર સુધીમાં ઓફિસમાંથી ચોરી થઈ છે.
આ ઓફિસમાં તા.૧૭ નવેમ્બરની રાત્રે પોણા દસ વાગ્યાથી બીજા દિવસની સવારના છ વાગ્યા સુધીમાં કોઈ શખ્સે ઓફિસના દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યા પછી ઓફિસમાં રહેલા કબાટનું તાળુ તોડી નાખ્યું હતું અને તેમાંથી રૂ।.૭પ હજાર રોકડા ઉઠાવી લીધા હતા. ઉપરોક્ત ચોરીની લીંડીબજાર પાસે મણીયાર શેરીમાં રહેતા અબ્દુલરશીદ મહંમદહનીફ લુસવાલાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી ત્યાં મુકવામાં આવેલા કેટલાક સીસીટીવીના ફૂટેજ પણ ચકાસવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial