Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે તેમના પર કરાશે શસ્ત્રક્રિયાઃ
જામનગર તા. ૩૧: જામનગરમાં ટાઉનહોલ રોડ પર સોમવારની સાંજે જેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તે નગરસેવકને આજે ઓપરેશન માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં સોમવારે સાંજે લાલબંગલાથી ટાઉનહોલવાળા રોડ પર સ્કૂટર પર જઈ રહેલા નગરસેવક અસલમ ખીલજી પર મોટરમાં ધસી આવેલા પાંચ શખ્સે તલવાર, ધોકા, પાઈપથી પ્રાણઘાતક હુમલો કર્યાે હતો.
નગરસેવકને મોટર વડે ટક્કર મારી પછાડી દેવાયા પછી તેઓ ઉભા થાય તે પહેલાં પાંચ શખ્સ હથિયારોથી તૂટી પડ્યા હતા. જેમાં નગરસેવક અસલમ ખીલજીને બંને હાથ તથા પગમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને જી.જી. હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી આજે ગુરૂદ્વારા નજીક આવેલી ન્યુરો તથા ઓર્થોપેડિકની સંયુક્ત હોસ્પિટલમાં ઓપરેશન માટે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હુમલાખોરોએ અસલમ ખીલજીના જ વોર્ડના અન્ય નગરસેવક અલ્તાફ ખફીના ઈશારે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial