Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય
જામનગર તા. ૩૧: જામનગર કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ શ્રી પાંચ નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં ધર્મના વર્તમાન આચાર્ય તેમજ મુખ્ય વડા પૂજ્યપાદ જગદગુરુ શ્રી કૃષ્ણમણિજી મહારાજના ૬૨મા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારથી બપોર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના ગુરુવારે સવારે ૯:૦૦ વાગ્યાથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ કરેલ રક્તદાન સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્કમાં એકત્ર થયેલું લોહી જમા કરાવવામાં આવશે. જેથી માનવ જિંદગી બચાવવા માટે આ ભગીરથ કાર્યમાં જોડાવા સંતસભા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સવારે ૯ વાગ્યાથી ૧૨ વાગ્યા દરમ્યાન શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ શ્રી કૃષ્ણમણિજી મહારાજના જન્મોત્સવની વધાઈ માટે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમ્યાન દેશ પરદેશથી હજારોની સંખ્યામાં ભક્તજનો શુભેચ્છા સમર્પણ માટે આવતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial