Advertisement
Author: નોબત સમાચાર

નવનિયુકત-સેવાનિવૃત્ત ૧૪૫ શિક્ષકોનો જામનગરમાં યોજાશે સન્માન સમારોહ

જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ઉપક્રમે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરની નેશનલ હાઈસ્કૂલમાં નવનિયુકત શિક્ષણ સહાયક, અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા શિક્ષકો અને નિવૃત્ત થતા શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે નવ નિયુકત થયેલા શિક્ષકો/ અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા શિક્ષકો અને તાજેતરમાં નિવૃત્ત થયેલા શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આમ માધ્યમિકનો ૫૯, ઉચ્ચતર માધ્યમિકના ૩૯, જિલ્લા ફેર બદલીથી આવેલા અનુક્રમે ૧૭ અને ૧૮ શિક્ષકો તથા સેવા નિવૃત થનારા ૧૨ મળી કુલ ૧૪૫ શિક્ષકોને સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમ શિક્ષણાધિકારી વિપૂલ મહેતા, શાળા સંચાલક મંડળના પ્રમુખ દિપક ઠક્કર, કચેરીના નિરીક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh