Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧: જામનગરના દરેડથી મસીતીયા વચ્ચેના રોડ પર રવિવારે સાંજે સાયકલસવાર પ્રૌઢને એક મોટરસાયકલના ચાલકે ઠોકર મારી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. જામનગર તાલુકાના મસીતીયા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા અનવરભાઈ અલારખાભાઈ ખફી નામના પ્રૌઢ સાંજે છએક વાગ્યે દરેડથી મસીતીયા વચ્ચેના રોડ પરથી સાયકલ પર પસાર થતા હતા.
તેઓને ન્યુ એરાના દરવાજા પાસે જીજે-૧૦-ઈએ ૫૯૭૧ નંબરના મોટરસાયકલના ચાલકે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા અનવરભાઈને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. જૂના ઘોડાના પઠા પાસે રહેતા સીદીકભાઈ અનવરભાઈ ખફીએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial