Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણનું સ્તર સુધારવા માટે
જામનગર તા. ૩૧: ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી શાળાઓના શિક્ષણની ગુણવત્તા કથળતી જતી હોવાની ફરિયાદો પરથી આવતીકાલ તા. ૦૧ થી ૦૩ જાન્યુઆરી સુધી વર્ષના પ્રથમ દિવસથી જ રાજ્યની ૩૮૫૩૫ શાળાના આચાર્યની તાલીમનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા થયું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાનું શિક્ષણસ્તર સુધરે તે માટે તજજ્ઞોના માર્ગદર્શનમાં ત્રણ દિવસ તાલીમનું આયોજન થયું છે. આચાર્યોએ તેમનું નેતૃત્વ કઈ રીતે સંસ્થાને પૂરૃં પાડવું તથા દેશના ટોપ ૧૦ નબળા શિક્ષણવાળા રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થયો હોય શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ ૨.૦ના હોમવર્કમાં પણ ફેરફાર કરવા નિર્ણય થયો છે. રાજ્યમાં ૧ થી ૩ જાન્યુઆરી ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક શાળાઓ ૩૨૮૪૪ના આચાર્યોને તાલીમ અપાશે તથા ૬ થી ૮ જાન્યુઆરી ૫૬૯૧ સરકારી તથા ગ્રાન્ટેડ શાળાના આચાર્યોને તાલીમ અપાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial