Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખનો દાવો
જામનગર તા. ૧૭ઃ તા. ૧૮-૭ થી પવિત્ર પુરૃષોત્તમ માસ (અધિક માસ, પ્રથમ શ્રાવણ) અને ત્યારપછી તરત જ રાબેતા મુજબનો પવિત્ર શ્રાવણ માસ શરૃ થશે. આ મહિનાઓમાં શ્રદ્ધાળુઓ એકટાણાં-ઉપવાસમાં ફરાળી ચીજવસ્તુઓ આરોગતા હોય છે. પણ કપાસીયા તેલમાંથી બનાવેલ ખાદ્ય સામગ્રી ફરાળી નથી તેવો દાવો ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી શશીકાંતભાઈ મશરૃએ કર્યો છે.
તેમના જણાવ્યા પ્રમાણે કપાસીયા તો પશુઓનો આહાર છે. સીંગદાણા, સીંગદાણાની વસ્તુઓ કે સીંગતેલમાંથી બનાવેલ વસ્તુઓ જ ફરાળી છે. આથી શ્રદ્ધાળુઓને બહાર મળતી ફરાળી વાનગીઓ ખાદ્ય સામગ્રી (જે કપાસીયા તેલમાંથી અથવા પામોલીનમાંથી બની હોય, સીંગતેલમાંથી ન બની હોય) તે નહીં આરોગવા સૂચન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial