Advertisement
Author: નોબત સમાચાર

આણદાબાવા આશ્રમ સંસ્થામાંથી તરૂણ લાપત્તાઃ પોલીસને કરાઈ જાણ

અપહરણનો ગુન્હો નોંધી ૫ોલીસે તપાસ શરૃ કરીઃ

જામનગર તા.૧૭: જામનગરના આણદાબાવા આશ્રમના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં રહેતા એક તરૃણનું કોઈએ શનિવારે સાંજે અપહરણ કર્યાની આ સંસ્થાના એક કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલા આણદાબાવા આશ્રમના અનાથાલય સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં રહેતા  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામના મિલન વાલજીભાઈ ગાજરોતર નામના ૧૫ વર્ષ ૧૧ મહિનાની વયના તરૃણનું કોઈએ અપહરણ કર્યાની અનાથાલયમાં નોકરી કરતા હરીભાઈ લવજીભાઈ પટેલે પોલીસમાં જાહેર કર્યું છે.

તેઓએ પોલીસમાં આ બાળકનું વર્ણન આપ્યું છે. આ બાળક મધ્યમ બાંધો ધરાવે છે. છેલ્લે તેણે કાળા રંગ જેવા રંગનો શર્ટ પહેરેલો હતો. આ બાળક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી-બી ડિવિઝનના પીએસઆઇ બી.બી. કોડીયાતર-૭૨૦૩૮ ૩૨૨૨૨ નંબરનો સંપર્ક કરવો. પોલીસે આઈપીસી ૩૬૩ હેઠળ નોંધ કરી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh