Advertisement
Author: નોબત સમાચાર

ભગવતી હોલ રોડ પહોળો કરવા જતાં નાના ધંધાર્થીઓની કાયદેસરની જગ્યા કપાશેઃ તંત્રને આવેદન

ખંભાળીયાના જોધપુર ગેઈટ પાસે

ખંભાળીયા તા. ૧૭ઃ ખંભાળીયામાં પાલિકા દ્વારા બનાવાતા જોધપુર ગેઈટ ભગવતી હોલ રોડ અંગે આવેદનપત્ર દુકાનદારોએ આપ્યું હતું.

ખંભાળીયા પાલિકા દ્વારા થોડા સમયથી જોધપુર ગેઈટથી બજાણા રોડ પર ભગવતી હોલ પાસે રોડ નવો બનાવવામાં આવતો હોય આ રસ્તો વધુ હોળો કરવા જતાં દુકાનદારો તથા નાના ધંધાર્થીઓની દુકાનો તૂટી જાય તેમ હોય તેમણે સામૂહિક રીતે રજુઆતો કરી હતી.

અગાઉ તંત્ર દ્વારા ૯ વતા ૧ ૧૦ મીટર જગ્યા રસ્તા માટે નક્કી કરાઈ હતી જે પછી ૧૦ તથા ૧ ૧૧ મીટરનું નક્કી કરીને દુકાનદારોને કહેવાયું છે. ૧૦ ને બદલે ૧૧ મીટર જગ્યા પહોળી થતાં આ વિસ્તારના દુકાનો રહેણાંક મકાનો તથા સીટી સર્વેની કાયદેસરની જગ્યાઓ સ.નં. ૩૧૦૭, ૩૧૦૩, ૩૧૦પ વાળી મોહન પરબત, બાબુ મોતી, અરજણ મોતી નાનજી પુનાની પણ આવી જાય તેમ છે. આ તમામ નાના ધંધાર્થીઓને ખુબ જ મોટું નુકસાન થાય તેમ હોય ૧૦ મીટરની જગ્યામાં રસ્તો બને તો પણ ટ્રાફિકને તકલીફ થાય તેમ ના હોય તેની માંગ સાથે દિપક નડીયાપરા, પ્રકાશ કણઝારીયા, યોગેશ ધોકીયા, શૈલેષ રાઠોડ, ગોરધન ટપુભાઈએ આવેદનપત્ર આપેલું હતું.

 જો કે, પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસનો આ અંગે સંપર્ક કરતા તેમણે આ રોડ ૧૦ મીટર પહોળો બનાવવાનું નક્કી કરાયું હોવાનું જણાવ્યું હતું જેથી ૧૧ કે ૧ર મીટરમાં આવતા લોકોને તકલીફ નહીં પડે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh