Advertisement
Author: નોબત સમાચાર

માનવ જીવનમાં વિજ્ઞાનના મહત્ત્વ અંગે આવતીકાલે કાલાવડમાં યોજાશે વ્યાખ્યાન

રેન્જ આઈજીના હસ્તે પોલીસ સ્ટાફનું થશે સન્માનઃ

જામનગર તા.૧૭ ઃ કાલાવડમાં આવતીકાલે માનવ જીવનમાં વિજ્ઞાનના મહત્વ અંગેનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી ઉપસ્થિત રહેશે. આણંદપરના સ્મશાનમાં પાંચ ભુવાના કરાયેલા પર્દાફાશમાં કામગીરી બજાવનાર કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફનું સન્માન પણ કરવામાં આવશે.

કાલાવડના આણંદપર ગામમાં થોડા દિવસ પહેલા સ્મશાનમાં ભૂવા સ્થાપવા અંગે કરાતી કાર્યવાહી દરમિયાન ભારત જનવિજ્ઞાન જાથાની ટૂકડી ત્રાટકી હતી. પોલીસની સાથે આવેલા જાથાના કાર્યકરોએ પાંચ ભૂવાનો પર્દાફાશ કર્યાે હતો.

ત્યારપછી આવતીકાલે કાલાવડમાં ધનજીભાઈ વસરામભાઈ પટેલ એજ્યુુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ તથા ટ્રસ્ટી પી.સી. મહેતાના યજમાન પદે માનવ જીવનમાં વિજ્ઞાનના મહત્ત્વ અંગેનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, કોલેજના પ્રિન્સીપાલ ડો. એન.કે. ડોબરીયા, પ્રો. સુનિલ જાદવ વગેરે ઉદ્બોધન કરશે.

આ વેળાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી. પટેલ, સ્ટાફના ગિરીરાજસિંહ, ગોપાલભાઈ, કમલેશભાઈ, સાગરભાઈ, માલદેવસિંહ, કુલદીપસિંહ, પ્રકાશભાઈ, નિકાવાના આગેવાન રાજુભાઈ મારવીયા, ભોજાભાઈ વગેરેનું રેન્જ આઈજી સન્માન કરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh