Advertisement
Author: નોબત સમાચાર

મંજૂરી વગર હેવી વીજલાઈન નાખવા સામે કોર્ટમાં દાવો

જામનગર તા.૧૭ ઃ જામનગરના મોખાણા ગામના એક ખેડૂતના ખેતરમાં મંજૂરી વગર જ ૬૬ કેવીની વીજ લાઈનનો થાંભલો નાખવાની કામગીરી કરાતા મામલો અદાલતના દ્વારે પહોંચ્યો છે.

જામનગર તાલુકાના મોખાણા ગામમાં ખેતર ધરાવતા રફીકભાઈના ખેતરમાં વીનસોલ એન્જિ. પ્રા.લિ. પેઢીના માણસો દ્વારા ૬૬ કેવીની વીજલાઈન નાખવા માટે રફીકભાઈની મંજૂરી વગર થાંભલો ખોડવાની કામગીરી શરૃ કરાતા તે કંપનીને નોટીસ આપવામાં આવી હતી.

તેમ છતાં હેવી વીજલાઈન માટે કામગીરી યથાવત રખાતા રફીક તથા ઈમરાનભાઈએ જામનગરની દીવાની અદાલતમાં દાવો કરી વચગાળાના મનાઈ હુકમની માંગણી કરી છે. કંપનીના પ્રતિનિધિને હાજર થવા હુકમ કરાયો છે. વાદી તરફથી વકીલ યજ્ઞેશ પંડ્યા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh