Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાંથી ભાજપના ત્રણેય ઉમેદવાર રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા

વીસમી જુલાઈએ થશે શપથવિધિઃ

ગાંધીનગર તા. ૧૭ઃ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ. જયશંકર ફરી એકવાર રાજ્યસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાયા છે, જ્યારે તેમની સાથે અન્ય બે ભાજપ ઉમેદવારો c અને બાબુભાઈ દેસાઈ પણ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી ર૪ જુલાઈએ યોજાવાની હતી, પરંતુ હવે ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમાં ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતાં. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમાં પીએમ મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાલ ઉં.વ. ૮૩ વર્ષના છે, અને રાજસ્થાનમાં રહે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય ઉમેદવારોની શપથવિધિ તા. ર૦ જુલાઈના સંસદમાં થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh