Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દલિત સમાજ જામનગર દ્વારા
જામનગર તા. ૧૭ઃ સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામના અનુ.જાતિ પરિવારના બે ભાઈઓની હતયા નિપજાવાઈ હતી. આ મુદ્દે સુપ્રિમ કોર્ટના સીટીંગ જજ મારફત તપાસની માંગ કરવામાં આવી છે.
સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લાના પ્રમુખ ગોવિંદ રાઠોડએ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખેલા આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફત પાઠવી માંગણી કરી છે કે, સમઢીયાળાના અનુ.જાતિ પરિવારની જમીન હડપ કરવા ભૂમાફિયાઓ દ્વારા સતત ધમકી આપવામાં આવતી હતી. આ અંગે રજૂઆત છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતાં. પરિણામે અનુ.જાતિના બે વ્યક્તિની હત્યા નિપજાવાઈ હતી.
આ બનાવ અંગે સુપ્રિમ કોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરાવવી જોઈએ અને ગુનેગારોને આજીવન કારાવાસની સજા મળે તેવો પ્રબંધ કરવામાં આવે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial