Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૭ ઃ જામનગરના બોક્સાઈટના એક વેપારી સામે રૃા.ર લાખના ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે.
જામનગરમાં માધવી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા બોકસાઈટના વેપારી મનોજ ધનવંતરાય શાહએ વર્ષ ૨૦૧૭માં રૃા.૨ લાખ અમિત દિનેશભાઈ શેઠ પાસેથી હાથ ઉછીના લીધા હતા. તે માટે વર્ષ ૨૦૨૧માં ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા અમિતભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપીના વકીલે દલીલ કરી હતી કે, લેણું ત્રણ વર્ષ પહેલાનું હોવાથી આ કેસ સમય મર્યાદા બહારનો છે. તેથી સામે ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, ચેક વર્ષ ૨૦૨૧માં આપવામાં આવ્યો છે. તેથી તેની સમય મર્યાદા ૨૦૨૧થી શરૃ થઈ છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી મનોજ ધનવંતરાય શાહને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. ફરિયાદી તરફથી વકીલ બી.એન. શેઠ, એ.વી. રાઠોડ, નિશ બી. શેઠ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial