Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે સંપૂર્ણ માર્ગદર્શક ઓનલાઈન પસંદગી પ્રક્રિયા પૂર્ણ થતાં
ખંભાળીયા તા. ૧૭ઃ ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી ખાલી જગ્યાઓ હવે ભરાશે, ઓનલાઈન સંપૂર્ણ પારદર્શક શાળા પસંદગી પ્રક્રીયા સંપન્ન થતા આનંદની લાગણી ફેલાવા પામી છે.
ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી આચાર્યની જગ્યાઓ રપ૦૦ થી ૩૦૦૦ જેટલી ખાલી હોય તાજેતરમાં આ અંગેની પરીક્ષા લેવાઈ જતાં પરિણામ પછી ગઈકાલે શાળાની પસંદગી પૂર્ણ થઈ હતી જે સંપૂર્ણ પારદર્શક તથા ઓનલાઈન હતી.
ઉમેદવારોએ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને વધુમાં વધુ સાત જિલ્લામાંથી વધુમાં વધુ સાત શાળાઓમાં આચાર્ય તરીકેની પસંદગી કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. જિલ્લો પસંદ કરાતા જિલ્લામાં ખાલી જગ્યાવાળી શાળાની માહિતી ઉપલબ્ધ થઈ જાય તથા તેમાંથી પસંદગી ક્રમમાં સાત શાળાઓ ગોઠવાઈ જાય તેવી સુંદર વ્યવસ્થા કરાઈ હતી. જેનું મેરીટના ધોરણે પરિણામ પણ બોર્ડની વેબસાઈટ પર જાહેર થાય તેવી વ્યવસ્થા છે.
બોર્ડની યાદી જાહેર થયા પછી ઈન્ટરવ્યૂ ગોઠવાશે જેમાં આચાર્યની પસંદગી થશે. પ્રથમ વખત સંચાલક મંડળને પણ ગુણ અપાયા છે જેથી મેરીટ ગુણ ઉપરાંત સંચાલક મંડળ તેમના ગુણો આપી તેમની પસંદગી મુજબનો ઉમેદવાર પસંદ કરી શકે. કેટલીયે શાળામાં વર્ષોથી આચાર્યોની જગ્યાઓ ખાલી હતી જે ભરાવાની સ્થિતિ થતા આનંદની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial