Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડઃ વિકાસ માર્ગ અતિ જર્જરિત, મરામતની માંગ

ભરાયેલા વરસાદી ૫ાણી બીમારી ફેલાવશે

ભાણવડ તા. ૧૭ઃ ભાણવડના રણજીતપરામાં કહેવાતા વિકાસ રોડની હાલત બિલકુલ જર્જરિત છે.

આ રોડમાં ઠેર-ઠેર ખાડા પડ્યા છે અને તેમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જે બીમારી નોતરી શકે છે.

ઉપરાંત શિતલા માતાજી મંદિરથી જકાતનાકા સુધીનો ધોરી નસ સમાન જર્જરિત માર્ગ નવીનીકરણ કરવું ખૂબ જ જરૃરી છે. છતાં તંત્ર ધ્યાન આપતું નથી. હાલતો આખો રોડ ઉબડખાબડ બન્યો છે.

ખાડામાં વરસાદી પાણી ભરાયા છે તેનો પણ નિકાલ કરવામાં આવતો નથી. આથી વાહનચાલકો, રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. કહેવાતા વિકાસ રોડ પર અનેક દુકાનો, રહેણાક મકાનો આવેલા છે. જેઓ હાલ ખૂબ જ ત્રાસ વેઠી રહ્યા છે. ખાસ કરીને વેપારીઓ માર્ગનું નવીનીકરણ ઈચ્છે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh