Advertisement
Author: નોબત સમાચાર

ખેતરનું રખોપુ કરવા ગયેલા યુવાન કૂવામાં ખાબક્યાઃ નિપજ્યું મૃત્યુ

નિદ્રાધીન યુવકને થયો સર્પદંશઃ

જામનગર તા.૧૭ઃ જામજોધપુરની બોખલી સીમમાં ખેતરે રખોપુ કરવા ગયેલા એક યુવાન કોઈ રીતે કૂવામાં પડી ગયા પછી મોતને શરણ થયા છે. જ્યારે જામજોધપુરના મેઘપર ગામમાં નિદ્રાધીન શ્રમિકને પરભવનો વેરી સાપ કરડી જતાં આ યુવાનનું મૃત્યુ થયું છે.

જામજોધપુર શહેરના ખરા વાડમાં રહેતા દેવાભાઈ ખોડાભાઈ સરવૈયા નામના અઢાર વર્ષના કોળી યુવાન શનિવારે રાત્રે બોખલી સીમ વિસ્તારમાં આવેલા અશ્વિનભાઈ સાપરીયાના ખેતરે મગફળી તથા કપાસના પાકના રખોપા માટે ગયા હતા.

આ યુવાન તે ખેતરમાં આવેલા કૂવામાં કોઈ રીતે પડી ગયા પછી મૃત્યુ પામ્યા છે. ખોડાભાઈ મગનભાઈ સરવૈયાએ પોલીસને જાણ કરી છે. જામજોધપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

જામજોધપુરના મેઘપર ગામમાં આવેલા પંકજભાઈ ભીખુભાઈ જોષીના ખેતરમાં ભાગમાં વાવેતર કરતા મૂળ મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના વતની દિલાવર નથુભાઈ (ઉ.વ.૧૯) નામના આદિવાસી યુવાન શનિવારે રાત્રે નિદ્રાધીન થયા પછી રવિવારની સવાર સુધીમાં આ યુવાનને કોઈ ઝેરી સર્પ કરડી જતાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પંકજભાઈએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh