Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક સમ્પન્ન

વિકાસ તથા વહીવટને લગતા ઠરાવો પસાર કરાયા

ખંભાળીયા તા. ૧૭ઃ ખંભાળીયા નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક સમિતિના ચેરપર્સન હીનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં મહત્ત્વના ઠરાવો પસાર થયા હતાં.

પાલિકામાં જુદા જુદા વિભાગના ટેન્ડરો મંજુર કરાયા, પાલિકાના ઉપયોગ માટે જેસીબી મશીન તથા ઝેરોક્ષ મશીન ખરીદવા, ભાડાપટ્ટાની દુકાનો, જમીનોનું ભાડું વસુલ કરવા, વેરા શાખાના બીલો વિતણ કરવા, ખામનાથ પાસેનો કેનેડી બ્રીજ ૧ર૦ વર્ષ જુનો તથા અસુરક્ષીત હોય રાજ્ય સરકારમાં ખાસ ગ્રાંટ માંગી બનાવવો, પાલિકામાં ચાલતા કામોમાં જ્યાં જરૃર જણાય ત્યાં એસ્ટીમેન્ટમાં વધારો કરવો, અમૃત પ્રોજેકટમાં કન્સ્ટલ્ટન્ટ નીમવા, નિવૃત્ત કર્મચારીઓને ઈ.પી.એફ.ની રકમ ચુકવવી, કામોની મુદ્દત વધારવી સહિતના ઠરાવો મંજુર કરાયા હતાં. આ બેઠકમાં ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા સમિતિના સભ્યો હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh