Advertisement
Author: નોબત સમાચાર

બોરવેલના ધંધામાં ખોટ જતાં વૃદ્ધના ઝેરના પારખાઃ આર્થિક તંગીથી ખેડૂતનો ગળાફાંસો

વેરાડના પ્રૌઢાની આત્મહત્યા, ભાટિયાના યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુઃ

જામનગર તા.૧૭ ઃ લાલપુરમાં રહેતા એક વૃદ્ધે બોરવેલના ધંધામાં ખોટ જતાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી છે. જ્યારે ભાણવડના વેરાડ ગામના એક પ્રૌઢાએ અકળ કારણથી ઝેર પી જિંદગીનો અંત આણ્યો છે. ભાટિયાના યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જીવનલીલા સંકેલી છે અને જમીનમાં ભાગ માંગતા બહેનને આર્થિક તંગીના કારણે પૈસા ન આપી શકાતા રૃમાપોરા ગામના યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે.

લાલપુર શહેરમાં આવેલા સાનિધ્ય પાર્કમાં રહેતા પરબતભાઈ હમીરભાઇ મારીયા નામના ૬૦ વર્ષના આહિર વૃદ્ધે ગયા બુધવારે રાત્રે બારેક વાગ્યે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું રવિવારે મૃત્યુ થયું છે.

આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા દોડી આવેલી લાલપુર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તેમના પુત્ર નીતિનભાઈનું નિવેદન નોંધ્યું છે. તેઓના પુત્રએ પોલીસમાં જણાવ્યું છે કે તેમના પિતાની ખેતીની જમીન લાલપુર તાલુકાના નાંદૂરી ગામમાં આવેલી છે. તેઓએ અગાઉ બોરવેલનો વ્યવસાય શરૃ કર્યાે હતો. તે પછી બોરવેલના વ્યવસાયમાં ખોટ જતા પરબતભાઈએ બોરવેલ તથા ખેતર બને વેચી નાખવા પડ્યા હતા. તેમ છતાં કરજો વધી ગયો હોય સતત ટેન્શનમાં રહેતા પરબતભાઈએ ઉપરોક્ત પગલું ભર્યું છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં રહેતા ઉર્મિલાબેન વલ્લભભાઈ સોનગરા નામના પંચાવન વર્ષના પ્રૌઢાએ ગઈ તા.૧૦ની સાંજે કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઉર્મિલાબેનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી કરી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના કિશનભાઈ રામભાઈ વરમલ નામના બાવીસ વર્ષના યુવાને શનિવારે બપોરે ભાટિયા રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા પછી ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુ હતું. આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જીવાભાઈ નારણભાઈ વરમલે પોલીસને જાણ કરી છે.

ભાણવડ તાલુકાના રૃપામોરા ગામના કરશનભાઈ જેઠાભાઈ ખરા નામના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પત્ની મંજુબેનનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ કરશનભાઈ પોતાના ભાગમાં આવેલી જમીન વેચવા ઈચ્છતા ન હતા અને તેમના બહેન તે જમીનમાં ભાગ માંગતા હતા. તે ભાગની રકમ આર્થિક તંગીના કારણે આપી શકાય તેમ ન હોય કરશનભાઈએ ફાંસો ખાઈ લીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh