Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૭ ઃ ઘી નદી પર પાજના દરવાજાના કામે હાલના દરવાજા ખોલતા નદીનું પાણી વહી ગયું હોય ખાલી નદીમાં કેટલાક તત્ત્વો દ્વારા મૃત પશુના હાડકા તથા અવશેષો નાખવાનું શરૃ કરાતા ગંદકી તથા ગંધાઈ જાય તેવી સ્થિતિ થતાં આ બાબતે પાલિકા સત્તાધીશોને જાણ થતાં તેમની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પાલિકાના સેનીટેશન વિભાગના રાજપારભાઈ ગઢવી તથા કિશોરસિંહ સોઢાએ તેમની ટીમ સાથે સ્થળની મુલાકાત લીધી હતી. આવા હાડકા નાખનારા લોકોને નોટીસ આપી તેમના દ્વારા નદીની સફાઈ કરાવવામાં આવી હતી. મૃત પશુના હાડકા તથા અવશેષોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પાલિકા દ્વારા નદી વિસ્તારમાં કોઈ પણ પ્રકારના પશુઓના હાડકા કે અવશેષો ના નાખવા તાકીદ કરવામાં આવી છે. તથા નાખનારા સામે કાયદેસર રીતે પગલા લેવાની જાહેરાત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial