Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતીને સુરેન્દ્રનગરના સાસરિયાએ ત્રાસ આપ્યાની ફરિયાદ

પતિ સહિત પાંચ સાસરિયા સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા.૨૮  ઃ જામનગરમાં એક વણિક યુવતીના લગ્ન સુરેન્દ્રનગરમાં કરવામાં આવ્યા પછી પતિ, સાસુ, સસરા, નણંદ તથા માસાજીને ઘરકામ બાબતે ઝઘડા કરી વધુ કરિયાવરની માંગણી અને પતિએ મરી જવાની ધમકી આપી ત્રાસ આપતા પિયર પરત ફરેલા આ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલા સંત કબીરનગર આવાસમાં વસવાટ કરતા જસ્મીનબેન નરેશભાઈ સંઘવી (ઉ.વ.૨૩)ના લગ્ન સુરેન્દ્રનગરના નિલમ બાગ નજીક વિમલનાથ સોસાયટીમાં રહેતા ઋષભ સુરેશભાઈ શાહ સાથે થયા પછી આ પરિણીતાને ત્રણેક મહિના સુધી સારી રીતે રાખ્યા પછી સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.

તેણીને પતિ ઋષભ, સાસુ હંસાબેન, સસરા સુરેશભાઈ રમણીકભાઈ શાહ, ચોટીલામાં રહેતા નણંદ હેમાંગી દર્શનભાઈ શાહ, સુરેન્દ્રનગરમાં જ રહેતા માસાજી રાજેન્દ્રભાઈ ચેતરીયાએ ઘરકામ બાબતે ઝઘડા કરી કરિયાવરની માંગણી કરી હતી.

તે ઉપરાંત પતિ ઋષભે અવારનવાર મરી જવાની ધમકી પણ આપી હતી. તેનાથી વાજ આવી ગયેલા જસ્મીનબેન ગઈ ૩૦ તારીખે પિયર પરત ફર્યા પછી તેઓએ ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૫૦૬ (ર), ૧૧૪, દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh