Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધૂણી રહેલા ચાર ભૂવાને પોલીસ મથકે લઈ જવાયાઃ
જામનગર તા.૨૮ ઃ કાલાવડના આણંદપર ગામમાં આવેલા સ્મશાનમાં આજે રાજકોટથી ભારત જનવિજ્ઞાન જાથાની ટૂકડી પોલીસ ટીમ સાથે ત્રાટકી હતી. ત્યાં ધૂણી રહેલા ચાર ભૂવાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા.
કાલાવડ તાલુકાના નિકાવા પાસે આવેલા આણંદપર ગામ માં આજે ભૂવાઓ દ્વારા ધૂણવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાની વિગત મળતા રાજકોટથી ભારત જનવિજ્ઞાન જાથાની ટીમ દોડી આવી હતી.
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી જાથાની ટીમે આણંદપરના સ્મશાનમાં ધસી જઈ ચકાસણી કરતા ત્યાંથી ચાર ભૂવાઓ ધૂણતી હાલતમાં મળી આવ્યા હતા. આણંદપરના એક પરિવારના ધાર્મિક કાર્યક્રમમાં ભૂવા સ્થાપવાની યોજાયેલી વિધિમાં આવી રીતે જાથા તથા પોલીસની ટીમ દોડી હતી.
સ્મશાનમાં ધૂણી રહેલા ચારેય ભૂવાને પોલીસે અટકાયતમાં લઈ જાથાના ચેરમેન જયંત પંડયાનું નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial