Advertisement
Author: નોબત સમાચાર

નવાનગર સહકારી બેંકના પંદર ડાયરેકટરની બિનહરીફ વરણી

જામનગરની અગ્રણી સહકારી બેંક

જામનગર તા. ૨૮ઃ જામનગરની અગ્રણી સહકારી બેંક ધી નવાનગર કો. ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૭-૦૬-૨૩ના દિવસે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ૧૫ બેઠક માટે ૧૫ ઉમેદવારો જ રહેતા તમામ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

નવાનગર કો. ઓપરેટીવ બેંકના બિનહરીફ જાહેર થયેલા ડાયરેક્ટરોમાં (૧) અમિત સતિષચંદ્ર કુંડલીયા, (૨) અશોક ત્રિભોવનદાસ જોબનપુત્રા, (૩) કાંતિલાલ માવજીભાઈ નકુમ (કાનો), (૪) કૃણાલ વિજયભાઈ શેઠ, (૫) ડો. ચેતન પ્રભુલાલ મહેતા, (૬) ચેતન રતિલાલ માધવાણી, (૭) ચેતન વિશનદાસ ખટ્ટર (૮) જહાન્વીબેન હિમેશભાઈ શાહ, (૯) તુલસીદાસ વલ્લભદાસ ગજેરા (૧૦) પ્રદીપ ખીમચંદ વાધર, (૧૧) પ્રીતિબેન અમિતભાઈ ખારેચા, (૧૨) બિપીનચંદ્ર ધીરજલાલ કનખરા (ભોલો), (૧૩) મુકેશ કેશવજી શાહ, (૧૪) મુનિશ જયેશચંદ્ર મહેતા તથા (૧૫) શારદાબેન ખીમજીભાઈ વિંઝુડાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે.

આગામી ટૂંક સમયમાં આ નવા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની પ્રથમ મિટિંગ યોજાશે જેમાં બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન વિગેરેની વરણી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh