Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચેય શખ્સને જિલ્લા બહારની જેલમાં ધકેલાયાઃ
જામનગર તા.૨૮ ઃ જામનગરમાં દારૃબંધીનો ભંગ કરવા ઉપરાંત જુગાર, મારામારી અને જાહેરનામાનો ભંગ કરતા પાંચ કુખ્યાત શખ્સને એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી તેને મંજૂરી મળતા પાંચેયને નડિયાદ, અમદાવાદ, પાલનપુર, સુરત અને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
જામનગર શહેર તથા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો સામે પાસાની દરખાસ્તો તૈયાર કરવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી ગોહિલ, આર.કે. કરમટા, શરદ પરમાર, હીરેન વરણવાએ પાંચ શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.
ઉપરોક્ત દરખાસ્તોને મંજૂરી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા પછી ગઈકાલે તેના પર મંજૂરીની મ્હોર મારવામાં આવતા જોડિયા તાલુકાના પીઠડ ગામના વતની અને હાલમાં રાજકોટમાં રહેતા બ્રિજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા, જામનગરના અશોક ખટાઉ મંગે ઉર્ફે મીર્ચી, લાખા દલુભાઈ ધારાણી, મયુર કરશનભાઈ ભાટીયા ઉર્ફે મયલા તથા સુનિલ કરશનભાઈ ભાટિયાની અટકાયત કરાઈ હતી.
દારૃબંધી ભંગના ચાર ગુન્હામાં સંડોવાયેલા બ્રિજરાજસિંહને નડિયાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે દારૃબંધી ભંગના તેર અને જુગારના પાંચ કેસ જેની સામે નોંધાયેલા છે તે અશોક ઉર્ફે મીર્ચીને અમદાવાદ જેલ, દારૃબંધી ભંગના ત્રણ, જુગારના ચાર, મારામારીના બે અને જાહેરનામા ભંગના બે ગુન્હામાં સંડોવાયેલા લાખા ધારાણીને પાલનપુર જેલ, દારૃબંધી ભંગના ચાર, જુગારનો એક, મારામારીનો એક, જાહેરનામા ભંગના બે ગુન્હામાં સંંડોવાયેલા મયુર ભાટિયાને સુરત જેલ તથા દારૃબંધી ભંગના બે, જુગારના ત્રણ, મારામારીનો એક અને જાહેરનામા ભંગના બે ગુન્હામાં સંડોવાયેલા દ્વારકા તાલુકાના બામણાસા ગામના વતની અને હાલમાં જામનગરમાં મહાદેવ નગરમાં રહેતા સુનિલ ભાટિયાને વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial