Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩ થી ૭ ઓગષ્ટ વિનામૂલ્યે
જામનગર તા. ૩૧: જામનગરના 'ઈટ્રા' (આરટીઆરએ)માં મૌલિક સિદ્રાંત વિભાગ દ્વારા અતિ ચિંતા-તણાવ જેવી એનઝાઈટી ડિસઓર્ડર અંગેની સમસ્યાઓ માટેના કેમ્પનું આયોજન આગામી તા. ૩ ઓગષ્ટથી ૭ ઓગષ્ટ સુધી સવારે ૯ થી ૧૨ દરમિયાન ઓપીડી નંબર બી-૯ માં કરવામાં આવ્યું છે. વર્તમાન સમયની જીવનશૈલી અને આહાર વિહારથી લોકોમાં અતિ ચિંતા અને તણાવને કારણે કામમાં મન ન લાગવું, બેચેની, સ્વભાવ ચીડિયો બનાવો, ઊંઘ ન આવવી જેવા લક્ષણો પ્રમુખ છે. વિશ્વમાં આ સમસ્યા ૯૫% ના દરે ગંભીર રીતે વધી રહી છે અને જો સમયસર યોગ્ય સારવાર લેવામાં ન આવે તો ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર જેવી ભયંકર સમસ્યા સર્જાય શકે છે. આ માટે આર્યુવેદ જીવનશૈલીથી તેનો ઉકેલ લાવવા માટેના આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial