Advertisement
Author: નોબત સમાચાર

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં થઈ જાહેર હિતની અરજી

પીઆઈએલમાં યોગી સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકારોને પક્ષકારો બનાવાઈ

નવી દિલ્હી તા. ૩૦: પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ થઈ છે, જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારોને પક્ષકાર બનાવાઈ છે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે સવારે મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ૩૦ લોકોના મોત થયા છે. આ પછી સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દેશભરમાંથી આવતા યાત્રાળુાઓાા મટે સલામતીના પગલાં અને માર્ગદર્શિકા લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.

આ સાથે આ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. અકસ્માતમાં ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. એડવોકેટ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તમામ રાજ્યોને પ્રયાગરાજમાં તેમના સુવિધા કેન્દ્રોમાં યાત્રાળુઓને સલામતીના પગલાં અને માર્ગદર્શિકા વિશે મૂળભૂત માહિતી પૂરી પાડવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

અરજીમાં એવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી કે યાત્રાળુઓ માટે અન્ય ભાષાઓમાં જાહેરાતો, દિશા નિર્દેશો અને રસ્તાઓવાળા ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવે જેથી અન્ય રાજ્યોથી આવતા લોકોને સરળતાથી મદદ મળી શકે અને તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તમામ રાજ્ય સરકારો, ઉત્તરપ્રદેશ સરકાર સાથે સંકલનમાં, તબીબી કટોકટીની સ્થિતિમાં પ્રયાગરાજ મહાકુંભમાં ડોક્ટરો અને નર્સોની એક નાની તબીબી ટીમ તૈનાત કરે જેથી તબીબી સ્ટાફની અછત ન રહે.

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, અરજીમાં તે અધિકારીઓ અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે જેમની બેદરકારીને કારણે ભાગદોડ મચી ગઈ. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશ સરકારને ર૯ જાન્યુઆરી ર૦રપ ના મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે અને તેના માટે જવાબદાર વ્યક્તિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે.

આ પીઆઈએલમાં કેન્દ્ર સરકાર, યોગી સરકાર તથા તમામ રાજ્ય સરકારોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. નાસભાગની ઘટના અંગે ઉત્તરપ્રદેશ મહાકુંભ ર૦રપ નો સ્ટેટસ રિપોર્ટ મંગાવવાની માંગ થઈ છે અને આ માટે જવાબદાર વ્યક્તિઓ, સત્તાધીશો અને અધિકારીઓના બેદરકારીભર્યા વલણ બદલ કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સામાન્ય ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવેશ અને બહાર નીકળવા માટે મહત્તમ જગ્યા પ્રદાન કરવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh