Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોએ સરદાર પટેલની પ્રતિમાને કરી પુષ્પાંજલિ

સરદાર પટેલ જન્મજયંતીની ઉજવણી

ભારતના લોહપુરૃષ સરદાર પટેલની જન્મજયંતી આજે જામનગર શહેરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રણજીતનગર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.  આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસકપક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મુકેશ દાસાણી, શહેર ભાજપ મહામંત્રી મેરામણ ભાટુ, પૂર્વ મેયર હસમુખ જેઠવા, કોર્પોરેટરો અન્ય આગેવાનો વગેરે જોડાયા હતાં. લોખંડી પુરૃષ સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટરો આનંદ રાઠોડ, જૈનબબેન ખફી, શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ, ભરત વાળા, પ્રવિણ જેઠવા સહિતનાઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh