Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં આચાર્ય કુટુંબના કુળદેવી ચામુંડા માઁ નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

જલાધીવાસ, ધાન્યાધીવાસ, શૈયાવાસ તથા હવન યોજાયોઃ

ખંભાળિયા તા. ૩૧ઃ તાજેતરમાં ખંભાળિયામાં આચાર્ય કુટંબ પુષ્કર્ણા બ્રાહ્મણના કુળદેવી ચામુંડા માતાજીનો ભવ્ય પ્રાણત્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

ખંભાળિયામાં ગગવાણી ફળીમાં બનેલા નવા મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠા કરાવવા માટે શાસ્ત્રી શ્રી દિનેશભાઈ બાંભણિયા તથા અરવિંદભાઈ બાંભણિયા દ્વારા વિદ્વાન શાસ્ત્રી ભરતભાઈ બાંભણિયા (ઘતુરીયાવાળા) ના માર્ગદર્શનમાં જલાધીવાસ, ધાન્યાધીવાસ, શૈયાવાસ તથા હવન કરવામાં આવ્યો હતો તથા માતાજીને ધુમધામથી વાજતે ગાજતે પ્રાણપ્રતિષ્ઠા કરાવાઈ હતી. માતાજી ચામુંડા સાથે હનુમાન તથા ક્ષેત્રપાલની પણ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય, આચાર્ય કુટુંબના યોગેશભાઈ આચાર્ય, જતિનભાઈ આચાર્ય, પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, જામનગરથી સુરેશભાઈ આચાર્ય, સોનલબેન આચાર્ય, કચ્છ-ભૂજથી અરૃણકુમાર હરિદાસ જોષી, ક્રિષ્ણાબેન જોષી, રાજકોટથી રમેશભાઈ જોષી, કિશનભાઈ રમેશભાઈ પંડ્યા, માંડવીથી મીત રમેશભાઈ જોષી, મુંબઈથી અરૃણભાઈ ઓઝા, લતાબેન ઓઝા, રાજકોટથી ધારાબેન પંડ્યા, ખંભાળિયાના દીપ આચાર્ય, મિહિર આચાર્ય, ઝીલ આચાર્ય, જીનીશ આચાર્ય, ભગવતીબેન આચાર્ય, નિશાબેન આચાર્ય વિગેરે પણ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh