Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧ઃ જેડબ્લુએ દશેરાના દિવસે પોતાના સ્થાપના દિનની ઉજવણી રાબેતા મુજબ રકતદાન શિબિર યોજીને કરી. પુરૃષોના લકઝરી લાઈફ સ્ટાઈલ સ્ટોર જેડબ્લુએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૃપે પોતાના સ્થાપના દિવસે દશેરાએ સળંગ ૧૮ મી વખત રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેડબ્લુએ તેમની ૪રમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૃપે અમદાવાદ રેડક્રોસ સોસાયટીના સહયોગથી ભારતના ૧ર શહેરોમાં રકતદાન શિબિરનું આયોજન કર્યું. આ વર્ષે તમામ શહેરોની કુલ મળીને ૩૧૩ લોહીની બોટલ એકત્ર થઈ હતી. જેમાં ડાયરેકટર્સ, સ્ટાફમિત્રો, માનવંતા ગ્રાહકો અને પડોશી સ્ટોર સભ્યોએ પણ રકતદાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial