Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧ઃ જામનગર સુન્ની-મુસ્લિમ ખલીફા જમાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નુરાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જશ્ને ૧ર મો સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે. આ અવસરે તા. પ-૧૧-ર૦ર૩ ના રવિવારે સવારે ૧૦ વાગ્યે તકરીરનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં પીરે તરીકત સૈયદ હાજી યુસુફબાપુ (સુરેન્દ્રનગરવારા) નુરી તકરીર ફરમાવશે. નિકાહ સવારે ૧૧ વાગ્યે આલીમો કારી સૈયદ કાદરી અબ્બાસબાપુ મોતીયુંવારા અને ખલીફા એ-બગદાદ મૌલાના મુસ્તાક બાપુ બ્લોચ નિકાહ ખ્વાની પઢાવશે. ફાતેહ ખ્વાની પીરે તરીકત સૈયદ હાજી અમીનબાપુ (ધોરાજીવારા) પઢશે અને બપોરે ૧ર વાગ્યે આમન્યાઝ તકસીમ કરવામાં આવશે. આ સમૂહ શાદીમાં જોડાવા અને સવાબે દારેન હાંસીલ કરવા નુરાની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જનાબ હાજી અબ્દુલાભાઈ ખલીફા (જામનગર) એ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial