Advertisement
Author: નોબત સમાચાર

યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા રકતદાન કેમ્પ

જામનગરમાં ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે

ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે આજે જામનગરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના સંયુકત ઉપક્રમે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણએ પણ રકતદાન કર્યું હતું. ઉપરાંત કોંગી આગેવાનો, યુવા કાર્યકરો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રકતદાતાઓને અને આયોજકોને પ્રોત્સાહિત કરવા માટે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર આનંદ રાઠોડ, નુરમામદ જૈનબબેન ખફી તથા શક્તિસિંહ, મહિપાલસિંહ, પ્રવિણભાઈ જેઠવા, ભરત વાળા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh