Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ધનતેરસથી ૧૦ સ્થળે શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રોનો થશે આરંભ

ધારાસભ્ય રિવાબા જાડેજાની રજૂઆતને સફળતાઃ

જામનગર તા. ૩૧ઃ જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની સફળ રજૂઆતથી જામનગરમાં આગામી ૧૦ નવેમ્બરથી ૧૦ જગ્યાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના થકી શ્રમિકોને માત્ર પ રૃપિયામાં ભોજન મળી રહેશે.

રાજ્ય સરકાર દ્વારા શ્રમિક કલ્યાણ માટેની શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના જામનગર શહેરમાં ચાલુ કરવા જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા જામનગરમાં ૧૦ જગ્યાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાની મંજુરી આપવામાં આવી છે. આગામી ૧૦ નવેમ્બરથી જામનગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ થશે જે માટે જામનગરમાં તૈયારી પણ થઈ ચૂકી છે.

દિવાળીના તહેવારોના સમયથી જ જામનગરમાં શ્રમિકોને માત્ર પ રૃપિયામાં ભોજન મળી રહેશે. આ તકે ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ યોજનાની મંજુરી આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh