Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૩૧ઃ ઓખા મંડળના વરવાળામાં આવેલા એક ખેતરમાં દેખરેખ રાખવાનું કામ કરતા એક વૃદ્ધ તે ખેતરમાં આવેલા મકાનમાં એકલા રહેતા હતા. આ વૃદ્ધનું પડી જવાથી કે અન્ય કોઈ કારણથી ઈજા થવાના કારણે મૃત્યુ થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા વરવાળા ગામમાં ટીબી હોસ્પિટલ પાસે મગનભાઈ સામાણી નામના ખેડૂતના ખેતરમાં દેખરેખ રાખતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના આંબડસ ગામના દેવશીભાઈ ગોપાલભાઈ વાઘડીયા (ઉ.વ.૮પ) નામના પટેલ વૃદ્ધ રવિવારે ખેતરમાં હતા.
આ વેળાએ તેઓ પડી જવાથી કે અન્ય કોઈ કારણથી ઈજા થવાના કારણે મૃત્યુ પામ્યા છે. આ ખેતરમાં એકલા રહેતા દેવશીભાઈના મૃત્યુની સોમવારે જાણ થતાં મહેશભાઈ વાઘડીયાએ પોલીસને વાકેફ કરી છે. દ્વારકા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial