Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગિર સોમનાથના ધારાસભ્યનું ઉછળ્યું છે નામઃ
જામનગર તા. ૩૧ઃ ગિર સોમનાથના ધારાસભ્યના માસીયાઈ ભાઈએ બે દિવસ પહેલા આત્મહત્યા કર્યા પછી તેઓની લખેલી મનાતી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે કરી છે. જેમાં ધારાસભ્ય સહિત ૩ના ત્રાસથી આ યુવાને આત્મહત્યા કરી હોવાનું લખેલું મનાઈ રહ્યું છે ત્યારે મૃતદેહને જામનગરની મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.
ગિર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના માસીયાઈ ભાઈ નીતિનભાઈ જગદીશભાઈ પરમારે શરદ પૂનમની રાત્રે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
તે મામલામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનુું નામ ઉછળ્યા પછી મૃતદેહને પી.એમ. માટે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફોરેન્સિક પી.એમ. કરવામાં આવ્યું છે.
હાલના તબક્કે નીતિન ભાઈએ આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે આ યુવાને આત્મહત્યા ક્યા કારણથી કરી તેની સઘન પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકની લખેલી મનાતી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે કરી છે જેમાં ધારાસભ્ય વિમલ સહિત ત્રણ વ્યક્તિના નામ હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસે મૃતકના મોબાઈલને પણ એફએસએલમાં મોકલવા તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial