Advertisement
Author: નોબત સમાચાર

શરીરમાં થતાં દુખાવાથી કંટાળી જઈ નગરના દરજી વૃદ્ધાએ કરી આત્મહત્યા

ગઈકાલે અગનપછેડી ઓઢી લીધીઃ

જામનગર તા. ૩૧ઃ જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા હાલાર હાઉસ નજીક એપાર્ટમેન્ટમાં રહેતા એક દરજી વૃદ્ધાએ શરીરમાં થતાં દુખાવાના કારણે કંટાળી જઈ ગઈકાલે અગનપછેડી ઓઢી જિંદગીનો અંત આણી લીધો છે. તેઓએ થોડા સમય પહેલાં ગોળો બદલાવ્યો હતો અને હાથ-પગમાં તેમને ફ્રેક્ચર થયા હતા. પોલીસે તેમના પતિનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા હાલાર હાઉસ નજીકના ગાયત્રી આસરો નામના એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા ગોપાલભાઈ છગનભાઈ ઝાખરીયા નામના દરજી વૃદ્ધના પત્ની કુંદનબેન (ઉ.વ.૬૨) નામના મહિલાએ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં અગ્નિસ્નાન કરી લીધુ હતું.

આ મહિલાનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું છે. બનાવની ગોપાલભાઈએ પોલીસને જાણ કરી છે. તેઓએ જણાવ્યા મુજબ તેમના પત્ની કુંદનબેનને અગાઉ હાથ તથા પગમાં ફ્રેક્ચર થઈ ગયા હતા અને ગોળો પણ બદલાવવો પડ્યો હતો. જેના કારણે તેઓને સતત દુખાવો થતો હતો. જેનાથી કંટાળી જઈને કુંદનબેને ગઈકાલે અગનપછેડી ઓઢી લીધી છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh