Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્દોરમાં ગંદા પાણીથી મૃત્યુનો મામલો
ઈન્ડોર તા. રઃ ઈન્દોરમાં ગંદુ પ્રદૂષિત પાણી પીવાથી ૧પ જેટલી વ્યક્તિઓના થયેલા મૃત્યુના કિસ્સામાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ સવાલો ઊઠાવતા કહ્યું છે કે, આ રીતે મૃતયુ થાય તે સરકાર અને વ્યવસ્થાઓ માટે શરમજનક છે. તેણીએ ઈન્દોરને સ્વચ્છ શહેર જાહેર કરવા સામે પણ પ્રશ્ન ચિન્હ લગાવ્યું છે. બીજી તરફ આ લખાય છે ત્યારે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે અને અદાલતે શાસન-પ્રશાસનને અણિયાળા સવાલો પૂછ્યા છે. અત્યાર સુધીમાં પ્રદૂષિત પાણી પીવાથી થયેલા ૧પ મૃત્યુનું જવાબદાર કોણ? તેવા પ્રશ્નો પણ પૂછાઈ રહ્યા છે.
અદાલતે રાજ્ય સરકાર પાસેથી આ મુદ્દે સ્ટેટ્સ રિપોર્ટ પણ માંગ્યો છે. એક મંત્રી મહોદયે કરેલા ઉદ્ધત પ્રકારના નિવેદન પછી રાજ્ય સરકાર બેકફૂટ પર છે અને હવે હાઈકોર્ટમાં સુનાવણી પછી સરકારનું વલણ શું કહે છે અને વડી અદાલત કેવા નિર્ણયો આપે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.
નર્મદાનું પાણી ઝેરીલું કેવી રીતે હોઈ શકે અને પાઈપલાનનું પાણી દૂષિત કેવી રીતે થયું? તે પ્રકારના ઊઠી રહેલા સવાલોના જવાબ સરકાર પાસે નથી, અને પ્રેસ-મીડિયા સમક્ષ સરકારી પ્રવક્તાઓ જાણે ફીફાં ખાંડી રહ્યા હોય તેવા જવાબો આપી રહ્યા છે, ત્યારે હવે હાઈકોર્ટે પણ આ મુદ્દે કડક વલણ અપનાવતા મધ્યપ્રદેશ સરકાર માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે હવે તો શાસક પક્ષના દિગ્ગજ નેતાઓ પણ આ મુદ્દે અવાજ ઊઠાવવા લાગ્યા છે અને વિપક્ષો સરકારને ઘેરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial