Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના ત્રણ શખ્સ સામે કરાયા પાસા

ત્રણેયને જુદી જુદી જેલમાં ધકેલી દેવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: ખંભાળિયાના ત્રણ શખ્સ સામે એલસીબીએ કરેલી પાસાની દરખાસ્ત મંજૂર થતાં આ ત્રણેય શખ્સને ભુજ, વડોદરા તથા પાલનપુરની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવત્તિઓ આચરતા શખ્સોને પાંજરે પુરવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા અપાયેલી સૂચનાના પગલે દ્વારકા એલસીબી પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ ત્રણ શખ્સ સામેની પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.

ખંભાળિયામાં ખોડીયાર ચોકમાં રહેતા સચિન કરમણભાઈ ચોપડા, કિશન કાનજીભાઈ બગડા ઉર્ફે પાંચા તથા મિલન ચાર રસ્તા પાસે રહેતા વિશાલ સીદુભાઈ માયાણી નામના ત્રણ શખ્સ સામે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરાઈ હતી. તેની મંજૂરી આપવામાં આવતા એલસીબીએ ત્રણેય શખ્સની અટકાયત કરી છે.

આરોપી સચિન ચોપડાને પાલનપુરની જેલમાં, કિશન કાનજીભાઈને ભુજની પાલાળા જેલમાં તથા વિશાલ માયાણીને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh