Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીકના સચાણામાં થયેલી હત્યાના ગુન્હામાં સામાપક્ષે પણ નોંધાવી વળતી ફરિયાદ

બુધવારે રાત્રે હુમલામાં થઈ હતી એકની હત્યાઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨: જામનગર નજીકના સચાણામાં માછીમારીની જાળના બાકી પૈસાના મામલે બુધવારે રાત્રે એક પરિવાર પર ટોળાએ કરેલા હુમલામાં એક યુવાનની હત્યા થઈ હતી. તેની કરાયેલી ફરિયાદ સામે ગઈકાલે સામાપક્ષે પણ આઠ સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગર-જોડિયા ધોરીમાર્ગ પર આવેલા સચાણા ગામમાં મંગળવારની રાત્રે હાજી બચુભાઈ કકલ નામના યુવાન પર માછીમારી જાળના બાકી પૈસાના મામલે ૧૪ શખ્સે હુમલો કરી આ યુવાન તથા તેના પરિવારજનોને માર માર્યાની અને હુમલામાં હાજી બચુભાઈના બનેવી ઈસ્માઈલભાઈને છરી વાગી જતા તેઓની હત્યા થઈ ગયાનો ગુન્હો  પોલીસમાં નોંધાયો હતો.

આ ફરિયાદની સામે સચાણા ગામના જીલાની અસગર બુચડે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે હાજી બચુભાઈ કકલ, ઓસમાણ હુસેન સોઢા, જાફર ઈસ્માઈલ સંઘાર, નવાઝ ઓસમાણ સોઢા, અકબર બચુ કકલ, અસગર બચુ કકલ, હુસેન આમદ કકલ, જુમા ઈસ્માઈલ કકલ નામના આઠ શખ્સે હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગુન્હો પણ રજીસ્ટરે લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh