Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ૧૯૯૩માં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૨: જામનગરમાં પટેલ કોલોનીમાં ૩ર વર્ષ પહેલાં ફલેટ ખરીદવા અપાયેલી રકમ સામેનો ચેક પરત ફર્યાની અને વિશ્વાસઘાત, છેતરપિંડી આચરાયાની ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હામાં આટલા વર્ષાે પછી ઝડપાયેલા આરોપીએ કરેલી જામીન અરજી મંજૂર રખાઈ છે.
જામનગરના બિલ્ડર કેતન અંબાલાલ પટેલ પાસેથી પટેલ કોલોનીમાં લવ-કુશ એપાર્ટમેન્ટમાં ફલેટ ખરીદવા રૂ।.૧ લાખ રપ હજાર લક્ષ્મણસિંગ દેવીસિંગે આપ્યા પછી તે ફલેટનો કબજો ન સોંપાતા કેતન પટેલે આ રકમ પરત આપવા ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તેથી લક્ષ્મણસિંગે છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવા અંગે ૩ર વર્ષ પહેલાં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીની બીજા શહેરમાંથી ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યાે હતો. આ આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરાયો છે. આરોપી તરફથી વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, એચ.પી. ઝાલા, કે.કે. અજુડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial