Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં
જામનગર તા. ૨: રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં સમગ્ર કુટુંબની સુખાકારીની ભાવના સાથે કુટુંબ નિયોજન કામગીરી નો અમલ કરવામાં આવે છે જે વસ્તી સ્થિરતા માટે તથા સર્વાગી વિકાસ માટે ખૂબ જરૂરી છે. જે અંતર્ગત કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. મોટેભાગે કુટુંબમાં આ માટે સ્ત્રીને જવાબદારી આપવામાં આવતી હોય છે જે ખરેખર તો પુરૂષ સ્ત્રીની સંયુક્ત ભાગીદારી હોવી જોઈએ. વસ્તી સ્થિરતા માટે મોટેભાગે સ્ત્રી લેપ્રોસ્કોપી ઓપરેશન ની પદ્ધતિ પ્રચલિત છે. પરંતુ સરકારનો અભિગમ પુરૂષ ભાગીદારી પણ કુટુંબની સુખાકારી માટે વધે તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.
જામનગર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો નૂપુર પ્રસાદ મેડમના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં ૩ પુરુષ નસબંધી ઓપરેશન ના કેસ નોંધાયા છે જે સમાજમાં આવી રહેલા પરિવર્તનનો સંદેશ સાબિત થઈ રહૃાો છે.
જિલ્લા માં પુરૂષ નસબંધી જાગૃતિ અભિયાન દરમિયાન કાલાવડ, જોડિયા તથા લાલપુર તાલુકામાં એક એક કેસ નોંધાયેલ છે જે પ્રશંસનીય કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડો સંજય સોમૈયા તથા ડો. પી ડી પરમાર દ્વારા સ્ટાફને પ્રોત્સાહિત કરી કામગીરી સફળતાપૂર્વક કરેલ છે જ્યારે જિલ્લા કક્ષાએ થી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ ગુપ્તા તથા જિલ્લા આઈ ઈ સી અધિકારી નીરજ મોદી દ્વારા જી.જી. હોસ્પિટલ સાથે સંકલન કરી વધુમાં વધુ લોકો પુરૂષ નસબંધી અપનાવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial