Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં
જામનગર તા. ૨૧: જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૯ માં કેટલા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, જે સ્થળે ખૂબ જ મંદ ગતિથી કામ ચાલતું હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓ દ્વારા જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા સમક્ષ રજૂઆત કરી હતી.
જે રજૂઆતના પગલે આજે સવારે સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરાએ સ્થળ પર પહોંચી જઈ સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. દરમિયાન કેટલીક બેદરકારીઓ સામે આવી હતી. કામ સંભાળી રહેલા સ્થાનિક કર્મચારીઓ કે જેઓ ગુટલી મારતા હોવાનું અને તેના કારણે કામગીરીમાં વિલંબ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તેથી તે વિભાગ ને લગત અધિકારીઓને સ્થળ પર બોલાવી લઈ આ અંગેનું રોજ કામ કરાવી ગુટલીબાજ કર્મચારીઓ સામે તુંરત પગલાં લેવા જણાવ્યું હતું. જેને લઈને ગુટલીબાજ કર્મચારીઓમાં ભાગદોડ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial