Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરમત પાટીયા પાસે યુવાન પર હુમલો થયોઃ
જામનગર તા. ૨૧: જામનગરના ગોરધનપર ગામમાં ઘર પાસેથી વોકીંગમાં જતા એક યુવાન સાથે મહિલાને ઝઘડો થયા પછી ગઈકાલે સાંજે આ યુવાન પર ચાર શખ્સે હુમલો કર્યાે હતો. સામા પક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત સરમત પાટીયા પાસે એક યુવાન પર ત્રણ શખ્સે લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ગોરધનપર ગામમાં માધવ વીલા-૧માં રહેતા મહિપતસિંહ કનકસિંહ ચાવડાના કાકીના ઘર પાસેથી અવારનવાર નીકળતા આકાશ દુબે નામના શખ્સને ત્યાંથી નીકળવાની ના પાડવામાં આવતા આકાશ દુબેએ ઝઘડો કર્યાે હતો. તે બાબતે ગઈકાલે સાંજે સમજાવટ કરવા ગયેલા મહિપતસિંહ રતનસિંહ હરિસંગ ચાવડા પર આકાશ દુબેએ હુમલો કરી ગાળો ભાંડવા ઉપરાંત ત્યાં પડેલુ કુંડુ ઉપાડી મહિપતસિંહના માથામાં ઝીંક્યું હતું અને રતનસિંહને ગળામાં કટરથી ઈજા પહોંચાડી હતી. સિક્કા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
આ ફરિયાદની સામે આકાશ રામનારાયણ દુબેએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેઓ યુવરાજસિંહ રતનસિંહ ચાવડાના ઘર પાસેથી વોકીંગમાં નીકળતા હોવાથી યુવરાજસિંહના માતાએ બોલાચાલી કરી હતી. તે પછી ગઈકાલે સાંજે યુવરાજસિંહ, અજયરાજસિંહ, રતનસિંહ અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કરી પાઈપથી હુમલો કરી આકાશ દુબેને માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ પાંચેય આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર સરમત ગામમાં રહેતા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ જાડેજા ગુરૂવારે સાડા દસેક વાગ્યે જામનગરથી સરમત જતા હતા ત્યારે ગામના પાટીયા નજીક નરેન્દ્રસિંહ ચંદુભા જેઠવા અને બે અજાણ્યા શખ્સે રોકી લઈ તું દશરથસિંહ સાથે કેમ ફરશ તેમ કહી ગાળો ભાંડી બે ફડાકા ઝીંકી દીધા હતા. આ વેળાએ દોલુભાએ છૂટા પડાવ્યા પછી માર્ગમાં ફરીથી બે અજાણ્યા શખ્સે રોકી લઈ લાકડીથી પૃથ્વીરાજસિંહને માર માર્યાે હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial