Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ હર્ષદના વિકાસ માટે રૂ. ૫૪ કરોડના કામનું ટેન્ડર મંજૂર

સાત કિ.મી. ફોર ટ્રેક રોડ બ્યુટિફિકેશન સાથે બનશે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જે દેવોની ભૂમિ ગણાય છે. અહીં દરેક તાલુકામા કોઈ ને કોઈ વિશેષ દેવ દેવી આવેલા છે. જેમાં કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે હર્ષદમાં હરસિદ્ધિ માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું હોવાથી અહીં થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવેલું હરસિદ્વિ વન પ્રવાસાઓના આકર્ષણનું કેન્દ્ર છે.

હર્ષદ વિસ્તારને ડેવલપ કરવા માટે ૬૮ કરોડની ગ્રાંટ ફાળવાઈ હતી, જેમાંથી ૫૪ કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવતા વિકાસ પ્રક્રિયા ચાલુ થઈ છે.

આ મહત્વના વિકાસ કાર્ય અંગે જિલ્લા આર.એન્ડ બી. ના કાર્યપાલક ઈજનેર ઉત્તમભાઈ ચૌધરીએ જણાવેલ કે આ વિકાસકાર્ય માટે ૬૮ કરોડ મંજૂર થયા હતા જેમાં ૫૪ કરોડ મંજૂર થયા હતા. જેમાં ૫૪ કરોડની ટી.એલ. આવતા તેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે.

ગાંધવી પાસેથી નીકળતા દ્વારકા પોરબંદર હોટલેઈન નેશનલ હાઈ-વે પાસેથી જ સાત કિલોમીટર ફોર ટ્રેક રસ્તો બનવો જે ગાંધવીથી છેક હરસિદ્ધિ વન સુધી પહોચતો ફોર ટ્રેક રોડ વિથ બ્યુટિફિકેશન થયો, જેમાં બન્ને બાજુ રોડ, બ્યુટિફિકેશન, સાથે સાઈડ રોડ પણ બનશે જે બનાવવા માટે રસ્તાને નડતર તમામ દબાણોનું ડિમોલીશન પણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh