Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૧ મતદાન મથક સંવેદનશીલ જાહેર થયા છેઃ
જામનગર તા. ૨૧: જામનગર જિલ્લાની ૧૮૭ ગ્રામ પંચાયત માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. ત્યારે કુલ ૪૨૬ મતદાન મથક પર ૧૫૦૦ જેટલા પોલીસ જવાનો કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ પર બાજ નજર રાખશે. ૧૦૧ મતદાન મથક સંવેદનશીલ જાહેર કરાયા છે.
જામનગર જિલ્લાની ૧૮૭ ગ્રામ પંચાયત માટે આવતીકાલે સામાન્ય અને પેટાચૂંટણી યોજાઈ છે. તેનું મતદાન આવતીકાલે થવાનું છે તે પહેલાં જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીએ ૪૨૬ મતદાન મથકમાંથી ૧૦૧ મતદાન મથકને સંવેદનશીલ જાહેર કર્યા હતા.
આવતીકાલે મતદાન વેળાએ સંવેદનશીલ મતદાન મથકો ઉપરાંત તમામ મથકો પર જામનગર જિલ્લા પોલીસના ૧૫૦૦ જેટલા જવાનો બંદોબસ્તમાં રહેશે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએસપી, ડીવાયએસપી, સીપીઆઈ, પીએસઆઈ સહિતના ૧૫૦૦ જવાનો શાંતિપૂર્ણ મતદાન માટે કમર કસી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial