Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કરન્ટથી થતા અકસ્માતો અને મૃત્યુ અટકાવવા
જામનગર તા. ૨૧: જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ઘણાં સ્થળે હજુ પણ વીજતંત્રના લોખંડના વીજપોલ છે. તેના બદલે સિમેન્ટના થાંભલા નાખવા જામનગર જિલ્લા સહકારી સંઘના છગનભાઈ પટેલે રજુઆત કરી છે.
જામનગર શહેરમાં ઘણા વિસ્તારોમાં વીજ લાઈન પસાર થવા માટે લોખંડના પોલ આવેલા છે. આ લોખંડના પોલમાં અવાર નવાર વીજળી પસાર થતી હોય છે અને ઘણા પશુઓ થાંભલે પોતાનું શરીર ઘસે અથવા બીજી રીતે આ લીકેજ થાંભલાને અડી જતા હોય છે. તેમજ ઘણી વાર અજાણપણે કોઈ માણસ થાંભલાને અડતા હોય છે અને તેથી વીજ કરન્ટ લાગતા મૃત્યુ પામતા હોય છે અથવા દાજી જતા હોય છે. આ સમસ્યા નિવારવા માટે જે જે વિસ્તારમાં લોખંડના પોલ હોય તે બદલીને સિમેન્ટના પોલ ઉભા કરવા માંગણી છે. જો આ બાબત શકય ન હોય તો આ લોખંડના પોલને સિમેન્ટના પતરાથી અથવા અન્ય કોઈ અવાહક મટીરીયલથી બનેલા પતરાથી લગભગ ૬ ફુટ ઉંચાઈ સુધી મઢી લેવા જોઈએ, જેથી કરીને થાંભલાને કોઈ પશુ કે માણસ અડે તો કરન્ટ ન લાગે અને ઘણાં અબોલ જીવ તેમજ માણસોને થતુ નુકસાન અટકાવી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial