Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કા પોલીસે તપાસ હાથ ધરીઃ
જામનગર તા. ૨૧: જામનગરના સિકકામાં રિલાયન્સ જેટી પર આવેલા કોરીયાના એક ખલાસીનંુ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગ્યા પછી સારવારમાં ખસેડવામાં આવ્યા તે દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના સિક્કા નજીકની રિલાયન્સ કંપનીની જેટી પર આવેલા કોરીયાના એક જહાજમાં ખલાસી તરીકે આવેલા જીયોંગ ઉનમો (ઉ.વ.૬૬) નામના વૃદ્ધ ગઈકાલે બપોરે સ્કાય વિનર શીપમાં હતા.
આ વેળાએ તેઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા ખાનગી એમ્બ્યુલન્સમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી આ વૃદ્ધને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જેટી પર કામ કરતા મૂળ જામનગરના નાગનાથ નાકાવાળા સાહિદ સીદીકે પોલીસને જાણ કરી છે. સિક્કા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial